Saturday, February 4, 2012

વેણ

રાધા ને કહ્યું માધવે,
પ્રિયે,
જવું જરૂરી છે,
કારણ,
સમયને બાંધવો ...
શક્ય નથી,
વીતેલો સમય આપનો,
અને વિતનાર
સૌનો,
મારે વહેંચાવું જ પડશે,
અને,
તારે મારી સાથે,
ટુકડા-ટુકડા
થવું જ પડશે,રહેશે,
કદંબ નીચેની,
આપણી આ સાંજ,
અને
તેની સ્મૃતિ,
બાકીનું જીવન,
 તારું ને મારું
એકબીજાની અંદર,
પુરું થશે,
લે તારી વાંસળી
અને
લાવ મારું ,
પિચ્છ,
આટલો સહારો,
ઘણ  રહેશે,
બીજા જનમ સુધી.....




No comments:

Post a Comment