Saturday, February 18, 2012

ધોધ


વાણીને વ્યર્થ વેડ્ફી હતી ,
પ્રેમની વાત જ્યારે કરી હતી,
આંસુને વ્યર્થ વહાવ્યા હતા,
જ્યારે વિદાયની વેળા આવી હતી,
આજે વાચા ખોવાઈ છે,
ને આંસુ સુકાયા છે,
પણ મન નો ધોધ ક્યાં છુપાવુ?
નાયગ્રા ની જેમ વહ્યા જ કરે છે.!!!.

No comments:

Post a Comment